હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાલિતાણામાં ‘શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ’માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
માનનીય રાજ્યપાલનું સ્વાગત કરવા માટે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પાલીતાણા પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.