હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસીત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર જિલ્લાના ગામે ગામ ફરી રહી છે ત્યારે આ રથના આગમન સમયે લોકો અનેક કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે શાળાના શિક્ષકે સુમધુર કંઠે દેશભક્તિ ગીતનુ ગાયન કરીને ભક્તિમય માહોલ બનાવ્યો હતો.
શિક્ષક કેતનભાઈ જગદીશભાઈ સોલંકી ખૂબ જ સુંદર સુરમય અવાજમાં ગીત ગાયન કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કેતનભાઈ એ જૂનાગઢ ખાતે એક વર્ષનો પ્રવેશિકા પ્રથમ નો કોર્ષ કરેલ છે.
કેતનભાઈ કલા મહાકુંભના બે વખતના પણ રહી ચૂક્યા છે.ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હોવા છતાં સંગીત પ્રત્યે ખૂબ રુચિ ધરાવે છે.