સરકાર ની મદદથી મને વિનામૂલ્યે અનાજ મળે છે – શ્રીમતી બાલુબેન સાગઠીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી મળી રહે અને તેનો લાભ સર્વે લઇ શકે તે અર્થે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ યોજનાઓમાં NFSA ની યોજના નો પણ સમાવેશ થાય છે. ભાવનગરના વતની અને દીરપ ચોક નજીક રહેતા શ્રીમતી બાલુબેન સાગઠીયા આ યોજના નો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત તેમને ઘઉં અને ચોખા વિનામૂલ્યે મળે છે અને ખાંડ, તેલ, ચણા અને મીઠું રાહત દરે મળે છે. 

આ યોજના થકી શ્રીમતી બાલુબેન સાગઠીયા નું જીવન વધુ સરળ બન્યું છે તે બદલ તેઓ સરકાર નો આભાર માને છે.

 

Related posts

Leave a Comment