ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામાપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ. આર.શેઠની નિમણૂંક કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

      ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ.આર.શેઠની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે.

આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે.

શામપરા (સિદસર)ની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા નગર નિયોજક, ભાવનગર નગર રચના યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment