જસદણમાં ભગવાન જગન્નાથજી ની ભવ્ય શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

       આજરોજ જસદણ મોટા રામજી મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા મંત્રોચ્ચાર સાથે કાઢવામાં આવેલ આ શોભાયાત્રા ની પૂજા વિધિ હર વખત ની જેમ ભાદર નદીના કાંઠે વિધવાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવેલ પૂજા વિધિમાં જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ ના વરદ હસ્તે તેમજ સાથે સાથે લઘુ મહંત શ્રી અનુપમ દાસબાપુ મોટા રામજી મંદિર તેમજ પંકજભાઈ રવૈયા, અજયભાઈ, રોહિતભાઈ વાઘેલા, રાધેશ્યામભાઈ દુધરેજીયા કિશોરભાઈ ગોંડલીયા, સહિતના મહાનુભાવોના હાથે પૂજા વિધિ કરવામાં આવેલ તેમજ ખાસ ઉપસ્થિતિ મોટા રામજી મંદિર મહંત શ્રી સુખદેવદાસ બાપુ તેમજ મારુતિ ધામ ગૌશાળા થી બાલયોગીજી છાશિયા બાપુ વગેરે મહંતો સંતોની હાજરીમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે ત્યારબાદ શોભાયાત્રા નગર યાત્રાએ નીકળેલ આ શોભાયાત્રા રાજાશાહી વખત યોજવામાં આવી છે અને એ પ્રથા આજે પણ સુખદેવદાસ બાપુ મોટા રામજી મંદિર દ્વારા જાળવી રાખવામાં આવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment