અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલન કાર્યક્રમ યોજાયો

ગીતા શીખો, શીખવો, અને જીવનમાં ઉતારો

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      આ કાર્યક્રમના સ્નેહીલ માર્ગદર્શક તરીકે ગીતા પરિવારના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. આશુજી ગોયલ હતા. ગીતા પરિવારના ડૉ.આશુજી ગોયલ દ્વારા નિ:શુલ્ક ઓનલાઇન ગીતા શીખવવાનું એક મહા અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. કોરોના કાળથી શરૂ થયેલા ઓનલાઈન ગીતા શીખો અભિયાનમાં ધીમે ધીમે કરીને આજ સુધી કુલ ૧૬૦ દેશના અંદાજે છ લાખથી વધુ લોકો જોડાઇ ચુક્યા છે. 

     પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મૈત્રી મિલન કાર્યક્રમમાં અંદાજે 1200 થી વધુ પ્રબુધ્ધ શ્રોતાઓની ઉપસ્થિત સાથે સમગ્ર હોલ ખીચો ખીચ ભરાયેલ જોવા મળ્યો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહેમાનો માટે મહા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ઠક્કર, અમદાવાદ

Related posts

Leave a Comment