તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ માટે મનપાના તમામ આધાર કેન્દ્ર ખાતે સેવા બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ:– (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે કાયમી આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત્ત છે. આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ બંધ રહેશે.

યુ.આઈ.ડી.એ.આઈ. મુંબઈ તરફથી તા.૧૫-૦૫-૨૦૨૩નાં ઈ-મેઈલ પત્ર અન્વયે નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેકટર, રાજકોટનાં તા.૨૦-૦૫-૨૦૨૩ રોજના પત્ર  પરત્વે અત્રેની કચેરીનાં આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાનાં ઉક્ત વિગતેનાં ત્રણેય ઝોનલ કચેરી ખાતેનાં આધાર નોંધણી કેન્દ્રો તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ પૂરતાં બંધ રહેશે. તા.૩૦-૦૫-૨૦૨૩થી આ આધારકેન્દ્રો ખાતે આધાર સેવા પુન: રાબેતા મુજબ શરૂ થઇ જશે. જેની સર્વે શહેરીજનોએ ખાસ નોંધ લેવી.

Related posts

Leave a Comment