રાજકોટ શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે

રાજકોટ,

રાજકોટ શહેર કોઠારીયા રોડ પર પંચમુખી હોટલ પાસે રહેતા પ્રિયાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામના ૨૯ વર્ષની પરિણીતાએ  ૨ વર્ષ પહેલા અમરેલીના ગામડામાં લગ્ન કર્યા બાદ છેલ્લા ૧ વર્ષથી પીયરે રિસામણે આવી હતી. ઘણી વાટાઘાટો છતાં દંપતિ વચ્ચે સમાધાન ન થતાં પ્રિયાબા જાડેજાએ કંટાળીને પોતાના ઘરે દુપટ્ટાવડે પંખા સાથે લટકાઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા હતો. બામણબોર ગામમાં રહેતા નનાભાઈ અરજણભાઈ દલવાણીયા નામના ૩૫ વર્ષના યુવાને બામણબોરના સ્મશાનમાં ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. નવાગામ વિસ્તારમાં રહેતા અને ડીશ કનેકશનનું કામકાજ કરતા ભુપતભાઈ ઉકાભાઈ ગોહેલ નામના ૫૫ વર્ષીય પ્રૌઢે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે. આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. કોઠારીયા સોલવન્ટ પાસે શક્તિનગર શંકરના મંદિરની બાજુમાં રહેતા કેતનભાઈ અશોકભાઈ ડાભી નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઘરે બારી સાથે ટુવાલ વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક કેતન ડાભી બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment