ભાવનગરના આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરના તરસમીયામાં બનેલા 1024 આવાસોના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વર્ચ્યુઅલ મધ્યમથી જોડાઈને એમની સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ યોજાયેલ EWS આવાસોના લોકાર્પણની સાથે સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર ખાતેથી લાભાર્થી સોનલબેન દુબલ સાથે સંવાદ કરી તેમના ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થવા બદલની તેમની ખુશીમાં સહભાગી થયા હતા.

આ તકે ભાવનગરના વતની સોનલબેન દુબલે જણાવ્યું કે, પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ મકાન ખાલી કરવા, ગંદકી, ખરાબ રસ્તા જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઉપરાંત નાનકડા એક રૂમમાં રહેવું પડતું હતું જ્યારે વર્ષ ૨૦૧૭ માં તેઓને સરકારની આવાસ યોજના વિશે માહિતી મળતાં તેઓએ ફોર્મ ભર્યું હતું અને હાલમાં જ તેઓનું સ્વપ્ન આવાસોત્સવ થતી સાકાર થયું હતું.આ ઉપ્રાંત આવાસની નજીક જ શાળા આવેલી હોઈ બાળકના શિક્ષણ સહિતના પ્રશ્નોનું સમાધાન થશે.

વડાપ્રધાન સાથે વાત કરતાં સારો અનુભવ થયો છે તેઓ મહિલા સશક્તિકરણ અંગે ખૂબ જ વિચારી રહ્યા છે તે અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

આવાસ યોજનાનું મકાન મળતા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવશે, તેઓ સીવણકામ દ્વારા ગુજરાન ચલાવે છે ત્યારે આવકમાં ફેર પડશે બચત થશે મકાનના ભાડામાંથી રાહત મળશે તેમજ જીવન ઘડતરમાં સુધારો આવશે.

મકાનની વિશેષતાઓ જણાવતા તેઓએ કહ્યું હતું કે, મકાન બનાવવા માટે જે પ્રકારનું તેઓનું સ્વપ્ન હતું તે જ પ્રકારનું તેમને મકાન સરકારની યોજના થકી મળ્યું છે. શહેરમાં પ્રાઇવેટ સોસાયટી જેવી બને છે તેવા જ પ્રકારની સોસાયટી માં તેઓને મકાન મળ્યું છે.

નાના ભૂલકાઓને માટે રમત ગમત નાં મેદાનો, સ્વચ્છતા, સારા પ્રકારના પાકા મકાનો, સોલાર પેનલ સહિતની તમામ પાયાની જરૂરિયાતો પણ ઉપલબ્ધ કરાવાઈ છે. જેથી નાનામાં નાની તમામ જરૂરિયાતો તેઓની પૂર્ણ થઈ છે.

Related posts

Leave a Comment