જસદણ કોર્ટના જજ નો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જનરલ ટ્રાન્સફર સાથે બદલી

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણના કોર્ટના નામદાર મહેરબાન પ્રિન્સીપલ સિનિયર જજ પી.એન. નવીન નાઓની નામદાર ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનથી જનરલ ટ્રાન્સફર, તેઓના જસદણ ખાતે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેથી મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવેલ છે. તેઓની જગ્યાએ શ્રીકૃષ્ણકાન્ત એન.દવે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જસદણ તરીકે ચાર્જ સંભાળશે. વકીલ આલમમાં પી.એન.નવીન ની કુશળ કામગીરી બાબત ખૂબ ચર્ચા થઈ રહેલ છે તેમજ ન્યાય આપતાની સાથે સાથે સારા માર્ગદર્શક પણ હતા. ઉપરાંત તેઓએ ખૂબ જ ત્વરિત રીતે જુના કેસનો નિકાલ કરેલ અને તેમના કાર્યકાળ દરમ્યાન જસદણ ન્યાય મંદિરની કોર્ટ બિલ્ડીંગને રીનોવેટ કરાવેલ તેમજ ઘણાબધા કેસોમાં બંને પક્ષકારોને સમજાવી સમાધાન પણ કરાવેલ.આમ ખુશમિજાજ સ્વભાવ અને મિતભાષી વર્તન ધરાવતા પી.એન નવીન સાહેબને વકિલઓએ અભિનંદન પાઠવેલ

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment