પાંચવડા ગામે રાજેશ ઝીણાભાઈ રાદડિયાની લાશ મળી આવી

હિન્દ ન્યુઝ, જસદણ

આટકોટના પાંચવડા ગામે ગઈકાલે રાજેશભાઈ રાદડિયા ગુમશુદા થતાં કુટુંબીજનો તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શોધખોળ ચાલુ કરી હતી પરંતુ આજે તેમની પોતાની જ વાડીમાં રાજેશભાઈ ઝીણાભાઈ રાદડિયા ની લાશ મળી આવી હતી અને પીએમ અર્થે જસદણ સરકારી હોસ્પીટલએ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશભાઈ રાદડિયા બે ત્રણ મહિના પહેલા જેમનું અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ ત્યારથી જ માનસિક અસ્થિર હાલતમાં હોય જેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં માહિતી મળતા અનુસાર રાજેશભાઈ રાદડિયાએ પોતાની જ વાડીમાં ઝેરી દવા પી જીવ ટૂકાવ્યાનું જાણવા મળેલ છે આગળની તપાસ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોકભાઈ વાવડીયા એ હાથ ધરી છે.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ (જસદણ)

 

Related posts

Leave a Comment