બરવાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બરવાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે અત્રેની મામલતદાર કચેરીમાં તા.૧૨/૦૨/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment