“શહીદ દિન” નિમિતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓ દ્વારા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦-૦૧-૨૦૨૩નાં રોજ “શહીદ દિન”નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓના અધિકારી / કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.

      રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખા સહીત તમામ શાખાનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા સવારે ૨ મીનીટ મૌન પાળી શહીદ વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Related posts

Leave a Comment