ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ, દ્વારા કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડની ઓફીસનું ઉદ્વધાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભરૂચ

        ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ અને અસ્તિત્વ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ રચના પામેલ ભરૂચ કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડ ભરૂચની ઓફીસ પાસે ભરૂચની ઓફીસનું ઉદઘાટનનો સમારોહ રાખવામાં આવ્યો હતો. વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ડો. કે.સશીકુમાર નાં વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહમાં અતિથી વિશેષ તરીકે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સુ ઉર્વશીબેન પ્રજાપતિ, એફ.પી.ઓ.નાપ્રમુખ ગીરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ તેમજ અન્ય તમામ ડાયરેકટરઓ, વન વિભાગના અધિકારીઓ સમારોહમાં હાજર રહ્યા હતા. સદર સમારોહમાં વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરુચ માન. ડો. કે.સશીકુમાર અને નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરુચ માન.સુ ઉર્વશીબેન પ્રજાપતિ ધ્વારા એફ.પી.ઓ ધ્વારા રિબીન કાપી ઓફીસનું ઉદ્વધાટન કર્યું હતું. તે સાથે હાજર રહેલા તમામ સાથે ભવિષ્યમાં તેમજ હાલ એફ.પી.ઓ.ની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

Related posts

Leave a Comment