રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી ના કારણે ખુલ્લી ગટર રાખવાથી ગૌવંશ ગટરમાં પડી જતા ગૌ પ્રેમીઓમાં રોષ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 27 રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર બંને સાઈડ પાણીના નિકાલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરો બનાવવામાં આવેલી છે. તેના ઉપરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટના ઘટે છે . આજરોજ ખુલ્લી ગટરના કારણે ગૌવંશ અંદર પડી જતા ગૌ પ્રેમીઓ દ્વારા ક્રેન ની મદદ થી ગૌવંશને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ગૌ પ્રેમીઓની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માગણી રાધનપુર ખાતે ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment