રાજકીય પ્રતિક સાથેના પહેરવેશ કે ટોપી પહેરી મતદાન/મતગણતરી મથકમાં પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, ભુજ

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં, જેના પર કોઇપણ રાજકીય પક્ષનું નામ, પ્રતિક કે સૂત્ર ન હોય તેવી સાદી ટોપી પહેરીને મતદાન મથકમાં મતગણતરી મથકમાં પ્રવેશ કરી શકાશે. આ હુકમનું ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્‍મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે.

Related posts

Leave a Comment