તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ઉના વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે

હિન્દ  ન્યુઝ, સોમનાથ

       ઉના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ઉના દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ  ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, તુલસીધામ સોસાયટીગીર ગઢડા રોડઉનાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર-ઉનામામલતદાર કચેરી, ગીર ગઢડા રોડ ઉના ખાતે ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ઉના ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment