રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

હિન્દ ન્યુઝ,

      ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨)

વર્ષમાં કૂલ નોંઘાયેલ
મેલેરિયા ૪૩
ડેન્ગ્યુ ૧૨ ૧૪૫
ચિકુનગુનિયા ૧૯

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨)

ક્રમ વિગત કેસની સંખ્યા
શરદી – ઉધરસના કેસ ૨૦૬
સામાન્ય તાવના કેસ ૪૩
ઝાડા – ઉલટીના કેસ ૩૪
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૭૭,૫૪૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૭૭૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ આનંદનગર, અજંતા પાર્ક, સાઘના સોસા., ઇન્દીરાનગર, ગુરૂજન સોસા., ગીતાંજલી સોસા., વાલ્કેશ્વર સોસા., શ્રીનગર, સહકાર સોસા., કલ્યાણ સોસા., મહાલક્ષ્મીનગર શેરી નં. ૧ થી ૫ મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, વર્ઘમાનનગર મે. રોડ તથા આજુબાજુનો વિસ્તાર, તોરલ પાર્ક – ૧ તથા ર અને મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, શીવશકિત મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, અક્ષર સોસા. શેરી નં. ૧ થી ર, ખોડીયાર પાર્ક – ૧ શેરી નં. ૧ થી ૩, સત્યમ પાર્ક, શિવ વિહાર સોસા., અર્જુન પાર્ક – ૧ થી ૩, શિવમ પાર્ક – ૧ થી ર, રામનાથ પાર્ક, મોરબી રોડ, મહાશકિત સોસા., – ૧ થી ૩, ખોડીયાર પાર્ક – ર, જુનો મોરબી રોડ, સતનામ પાર્ક – ૧ થી ૩ મોરબી રોડ, જંકશન પ્લોટ, સદર વિસ્તાર, અકિલા પ્રેસ પાછળનો વિસ્તાર, ભિલવાડા, ખાટકીવાસ, ગવલીવાડ, વિરમાયાપ્લોટ, ફુલવાડી પાર્ક શેરી નં. ૧ થી ૭ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, સગુન રેસીડેન્સી શેરી નં. ૧, ર તથા મેઇન રોડ, અંજતા પાર્ક શેરી નં. ૧ તથા જનકપુરી મેઇન રોડ, પાટીદાર ચોક મેઇન રોડ તથા આજુબાજુ નો વિસ્તાર, જુનુ સ્વાતી પાર્ક, નવુ સ્વાતી પાર્ક, સ્વામી હાઇટસ, જે. કે. પાર્ક, સદભાવના રેસીડેન્સી, હા૫લીયા પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, માઘવ રેસીડેન્સી, સુયોદય સોસા. – ર શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, પારસ સોસા. શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ, ગંગાવિલા રેસીડેન્સી, કૈલાસઘારા પાર્ક, શાંતીનગર મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, જંકશન પ્લોટ શેરી નં. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫/૩, ૧૫, અલ્કા સોસા., જયરાજ પ્લોટ, મારૂતીનગર, સિયાણી મે. રોડ, ભવાની ચોક, પુજા પાર્ક, હુડકો કવા., દિપ્તીનગર, મેઘાનીનગર, ન્યુ ૮૦ ફુટ રોડ, રૈયારોડ, પી.ડબલ્યુ. કવાટર્સ, અંબિકાનગર, સીતારામ સોસા., શકિત ઇન્ડ. એરીયા મે. રોડ, માણેક પાર્ક, જમાઇ૫રા, અંવતિકા પાર્ક સોસા., કબીરવન મેઇન રોડ, દુઘસાગરરોડ, ભગવતી સોસ., લાખાજીરાજ સોસા., ફારૂકી સોસા., માજોઠિનગર, ભૈયાબસ્તી, જાગૃતિનગર, શ્રી રામ પાર્ક, હુડકો કવા., નરસિંહનગર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૬૪૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૭૩૫ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો…

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment