શ્રી સોમનાથ  મંદિરમાં શરદ પૂનમના  પવિત્ર  દિવસથી સુંદરકાંડ પાઠનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ

હવે શ્રધ્ધાળુઓ દર પૂનમે સુંદરકાંડ પાઠનો લાભ લઇ શકશે

    શરદ પૂનમના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન હનુમાનજીની મહાપૂજા શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ ના હસ્તે કરવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે આજરોજ શરદ્પૂનમના  દિવસથી આ સુંદરકાંડ પાઠ નો પ્રારંભ કરવામાં આવેલ. હવેથી દર પૂનમે શ્રી સોમનાથ પરિસરમાં ભક્તો સુંદરકાંડ પાઠનો લાભ લઇ શકસે. જે સુંદરકાંડ પાઠ શાસ્ત્રીશ્રી જશ્મીનભાઇ દવે & ગૃપ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારી, કર્મચારી સોમનાથ મહાદેવના દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ જોડાયેલ.

Related posts

Leave a Comment