રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨) દરમ્‍યાન

રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું.

ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. 

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨)

વર્ષમાં કૂલ નોંઘાયેલ
મેલેરિયા ૪૦
ડેન્ગ્યુ ૧૦ ૧૩૩
ચિકુનગુનિયા ૧૯

અન્ય રોગચાળાની કેસની વિગત (તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨)

ક્રમ વિગત કેસની સંખ્યા
શરદી – ઉધરસના કેસ ૨૧૩
સામાન્ય તાવના કેસ ૪૧
ઝાડા – ઉલટીના કેસ ૫૧
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૩/૦૯/૨૦૨૨ થી તા.૦૨/૧૦/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૬૪,૦૨૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૬૫૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ આજીવસાહત, ભાવનગર મે. રોડ, મેરામબાપાની વાડી પાસે, ૮૦ ફુટ મે. રોડ, ભાગ્યલક્ષ્મી ઇન્ડ. એરીયા, ભારતનગર, આનંદનગર, આજી જી.આઇ.ડી.સી., કોઠારીયા મેઇન રોડ, રામનગર ઇન્ડ. એરીયા, રણછોડવાડી શેરી નં. ૧ થી ૭, અલ્કા પાર્ક શેરી નં. ૧ થી ૫, સિઘ્ઘી વિનાયક પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મે. રોડ, એલ. પી. પાર્ક શેરી નં. ૧ થી ૩, સિતારામ સોસા. શેરી નં. ૧ થી ૩, ગાંઘી સ્મૃતિ શેરી નં. ૧ થી ૩, સરદાર પટેલ કોલોની શેરી નં. ૧ થી ૩, પ્રજા૫તિ સોસા. શેરી નં. ૧ થી ૫, રઘુવિર પાર્ક શેરી નં. ૧ થી ૩, શ્રી સદગુરૂ સોસા., શકિત સોસા., સિલ્વર નેસ્ટ સોસા., મયુરનગર, શકિત ઇન્ડ. એરીયા, શ્રી રણછોડનગર, ચં૫કનગર સોસા., બ્રાહમણીયા૫રા, કબીરવન, કનકનગર, રાજરામ સોસા., આશાપુરાનગર, રાજલક્ષ્મી સોસા., અરવિંદ મણીયાર (એ અને બી કવા.), નુરાની૫રા, શીવ૫રા – ૪, નર્મદા પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, ગોવર્ઘન પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, ગણેશ પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, આર્ય એવન્યુ શેરી નં. ૧  તથા મેઇન રોડ, ચંદ્ર પાર્ક શેરી નં. ૧ થી ર૦ તથા મેઇન રોડ, મનહરપુર, માઘા૫ર, વિનાયક વાટીકા, સુરેશ્વર પાર્ક, અવઘ રેસીડેન્સી, કુવાડવા રોડ, કિંજલ પાર્ક શેરી નં ૧ થી ૪, શિવ શકિત પાર્ક, ૮૦ ફુટ રોડ, ભોલેનાથ રેસીડેન્સી, આદર્શ રેસીડેન્સી, ૮૦ ફુટ રોડ, શ્રીનાથ પાર્ક શેરી નં. ૧ થી ર, ભગવતી પાર્ક શેરી નં. ૧ થી ર, ચામુંદા સોસા., મેઇન રોડ, શ્રી રામ પાર્ક, શેરી નં. ૧ થી ર, શિવ રંજની પાર્ક, રાજનગર સોસા., શ્રી પાર્ક, જુનો મોરબી રોડવગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૭૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૫૨૮ આસામીને નોટીસ તથા રૂા.૨૭,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલાતની કરવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો…

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment