રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નીરજ પંડ્યા ને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પદ પર નિયુક્ત કરાયા

અંકલેશ્વર,
રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હસન આરીફ અને વર્કિંગ કમિટી દ્વારા અંકલેશ્વર ના રહેવાસી નીરજ અનિલભાઈ પંડ્યા ને ગુજરાત પ્રદેશ ના સુરેન્દ્રસિંહ શર્માની અધ્યક્ષતામાં રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ માટે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે નીરજ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હસનઆરીફ અને અધ્યક્ષ સુરેન્દ્ર શર્મા નો હું આભાર માનું છું કે જેઓએ મારી પર વિશ્વાસ રાખી ઉપાધ્યક્ષ પદ માટે મારા નામની ભલામણ કરી છે અને મને યોગ્ય ગણી પુરા પ્રદેશની જવાબદારી સોંપી અને સમાજસેવા કરવાની જે તક આપી છે તે હું વફાદારીપૂર્વક નિભાવીશ સાથે પાર્ટીના કામ હર હંમેશ પ્રાધાન્ય આપીશ, સાથે હું તમામ મારા વડીલ જનો નો ખાસ આભાર માનું છું.

Related posts

Leave a Comment