અમરેલી જિલ્લાના ભાજપના સોશ્યલ મીડિયાના કન્વીનર ના જન્મદિવસે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ

હિન્દ ન્યુઝ, રાજુલા

 અમરેલી જિલ્લાના ભાજપના સોશ્યલ મીડિયાના કન્વીનર અને સેવાભાવી યુવાન સાગરભાઈ સરવૈયા ના જન્મદિવસે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નું  આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સર્વ નિદાન કેમ માં આયુષ્યમાન કાર્ડ તેમજ વેકસીનેશન કેમ્પમાં પૂર્વ સચિવ હીરાભાઈ સોલંકી હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને હીરાભાઈ સોલંકી દ્વારા સાગરભાઇ સરવૈયા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આવા સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેમ્પ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો બોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ અને પધારેલો મહેમાનો અને રાજુલા શહેરના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ તકે જીજ્ઞેશભાઈ પટેલ, હસુરભાઈ લાખણોત્રા, જીતુભાઈ સરવૈયા, રવુભાઈ ખુમાણ, નરેશભાઈ પુરોહિત, પરેશભાઈ લાડુમોર, મહેન્દ્રભાઈ ધાખડા, બીપીનભાઇ લહેરી, ચિરાગભાઈ જોશી, ભરતભાઈ જોશી સહિતના રાજકીય અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો, સેવાભાવી યુવાનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : સુભાષ સળખણા:, રાજુલા

Related posts

Leave a Comment