ભાવનગર જિલ્લા કક્ષાના 73 મા વન મહોત્સવની તળાજાના મણાર ખાતે ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગરનો જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાના અધ્યક્ષસ્થાને તળાજા તાલુકાના મણાર ગામ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યુ હતુ કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારીને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમણે વિકાસના અન્ય તમામ ક્ષેત્રોની સાથે પર્યાવરણની જાળવણીની નેમ સેવીને વન મહોત્સવને લોકભોગ્ય બનાવ્યો હતો. નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે વન મહોત્સવ જન ભાગીદારી સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું અને હવે તે એક જન આંદોલન બની ચૂક્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધતા જતા વાહનોના કારણે પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આબોહવા દૂષિત થઈ રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા વૃક્ષારોપણની સાથે વૃક્ષોનું જતન પણ જરૂરી છ પર્યાવરણના મુદ્દે લોકોમાં જાગૃતિનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી જ વૃક્ષારોપણમાં લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે, તે બધાને એકસરખી રીતે અસર કરે છે, તેથી તેના ઉકેલમાં પણ તમામ લોકોની ભાગીદારી અનિવાર્ય છે. તેની સામે સૌએ સાથે મળીને લડવું પડશે. અને તેનો એક જ ઉપાય વૃક્ષારોપણ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે વૃક્ષોને કુદરતના આશીર્વાદરૂપ ગણાવ્યા હતા તેમજ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ એ એક કુદરતી આપત્તિ છે. કુદરતના આશીર્વાદ સમાન વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે નહીં વધારવામાં આવે અને જો આમને આમ જ પ્રદૂષણ વધતું રહ્યું તો કદાચ આવનાર વર્ષોમાં લોકોને શ્વાસમાં તાજી હવા લેવા માટે પણ ઓક્સિજન મળી રહેશે નહીં. ઑક્સીજન નું મહત્વ આપણે કોરોનાનાં સમયમાં સરખું સમજી ગયા છીએ આથી ભવિષ્યમાં એ પરિસ્થિતિ નાં સર્જાય તેથી આપણે અત્યારે વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આ ઉપરાંત પર્યાવરણ નું જતન કરવા વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે

આ કાર્યક્રમમાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણની જાગૃતિ માટે પ્રસંગને અનુરૂપ ગીત અને નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નાયબ વન સંરક્ષક એસ. એસ. મુંજાવર, મુણાર ગ્રામ દક્ષિણામૂર્તિના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અરુણભાઈ ભટ્ટ, મહુવા ડી વાય એસ પી મિહિરકુમાર બારૈયા, તળાજા નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ મારડીયા, તળાજા તાલુકા પંચાયત પ્રમુખ મંગાભાઈ સોલંકી, બાંધકામ સમિતિનાં ચેરમેન રાજનભાઈ ભટ્ટ, ભાવનગર ભાજપ મહામંત્રી હરેશભાઈ વાધ, તળાજા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર સરવૈયા, તળાજા ગ્રામ્ય ભાજપ મહામંત્રી ધીરુભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

 

Related posts

Leave a Comment