રાજુલા શહેરમાં આરોગ્ય મંદિરના નિર્માણ માટે પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, રાજુલા

રાજુલા શહેરમાં મહાત્માં ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ આરોગ્ય મંદિર ની-શુલ્ક લોકોની સારવાર માટે બની રહ્યું છે. અહીં આરોગ્ય મંદિરમાં ૨૦૦ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંદિર લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ નિઃ શુલ્ક પણે ઉપલબ્ધ રેહશે. આ આરોગ્ય મંદિરની સુખદાયી વધે ત્યારે ઝીકારભાઈ ભગવાનભાઈ વાઘ, તેમજ અરજણભાઇ સાવજભાઈ વાઘ, યાદવ ટ્રાન્સપોર્ટ રામપરા(૨)વાળા દ્વારા મહાત્માં ગાંધી આરોગ્ય મંદિરના નિર્માણ માટે પાંચ લાખનો રૂપિયાનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. આ તકે ધારાસભ્ય અંબરીષ ડેર, ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી, અલ્પેશભાઈ દુધાત, ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment