તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સીટી મામલતદાર કચેરી ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજય સરકારના આદેશ અનુસાર તા. ૨૭/૦૭/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે નાયબ કલેકટર, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે.

ભાવનગર શહેરના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવાં માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબંધિત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહીક રજૂઆત કરી શકાશે નહીં તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment