ગીર સોમનાથમાં ફળ-શાકભાજી અને ફૂલનું છૂટક વેચાણ કરતા લારીધારકો માટે બાગાયત વિભાગ દ્વારા વિનામૂલ્યે છત્રી વિતરણની અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

જિલ્લાના બાગાયત ખાતા દ્વારા રોડ ઉપર ફળ, શાકભાજી અને ફૂલ પાકોનુ વેચાણ કરતાં લારી ધારકો માટે વિનામૂલ્યે છત્રી વિતરણ માટે ઓનલાઈન અરજી કરવાનું જણાવવામાં આવ્યું છે. અરજી કરવા ઈચ્છુક આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૧૬/૦૭/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનાનો લાભ લેવા માગતા લારી ધારકોએ અરજી કર્યા બાદ ૭ દિવસમા આઈ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની નકલ તેમજ જરૂરી પૂરાવા સાથે બાગાયત વિભાગની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવાની રહેશે.

યોજનાની વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનો અથવા તો ટેલીફોન નંબર ૦૨૮૭૬૨૪૦૩૩૦ પર સંપર્ક સાધવા બાગાયત ખાતા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment