હિન્દ ન્યુઝ, રાધનપુરr
રાધનપુર તાલુકાના દેવગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારા મારી ની ઘટના સામે આવી છે. આજે મોડી સાંજે કોઈ કારણ સર બે જૂથો આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હોવાની વિગતો જાણવા મળી છે.
દેવ ગામે એકજ સમાજના ૨ જૂથો વચ્ચે કોઈ કારણસર મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બનતા 11 લોકો ઘાયલ થયા હતા જેમાંથી બે લોકો ને વધુ ગંભીર હોય ધારપુર પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા છે. બાકીના તમામ રાધનપુર ખાતે હાલ સારવાર લઈ રહેલ છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ કાફલા સાથે દેવ ગામે પહોંચી મામલો ઠારે પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર