સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં જુદીજુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપરવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદિલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ્રી વંગવાણીએ પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાની અમલવારી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજથી તા.૨૩/૦૬/૨૦૨૨ ( બંન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે. ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમા જોડાનાર વ્યકિતઓને તેમજ સબંધિત તાલુકા એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment