મધ્યાહન ભોજન અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા રાણપુર મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ

 હિન્દ ન્યુઝ, બોટાદ 

  રાણપુર મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાણપુર તાલુકાના સાંકળીબાઈ કન્યા પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૨૬) માટે મધ્યાહન ભોજન અંતર્ગત ચાલતા કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે તા. ૧૭/૦૫/૨૦૨૨ થી તા.૨૮/૦૫/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી રાણપુર ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે અરજીઓ મંગાવાઈ છે. આ જગ્યા માટે લઘુતમ વયમર્યાદા ૬૦ વર્ષની તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ કે તેથી વધુની રહેશે આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવાર, વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment