બોટાદ ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

બોટાદ મામલતદાર ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ તાલુકાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૭-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ બોટાદ ખાતે યાજાશે.  આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૮/૦૪/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય સવારના ૧૦-૩૦ કલાકથી સાંજના ૬-૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણિયા, બોટાદ

Related posts

Leave a Comment