આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહન અને દ્રીચક્રી મોટર વાહન માટે બાકી બચેલ સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

         આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવા મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ-04-EA 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ- 04-EB 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૮-૦૪-૨૦૨૨ થી તા.૨૦-૦૪-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૧-૦૪-૨૦૨૨ થી તા.૨૨-૦૪-૨૦૨૨ સુધી સવારનાં ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનું પરીણામ તા.૨૫-૦૪-૨૦૨૨ નાં રોજ સાંજનાં ૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment