કતારગામ ખાતે નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ ને મોબાઈલ આપવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, કતારગામ

નેશનલ ફેડરેશન ઓફ સુરત નાં પ્રમુખ સુદીપ ત્રિપાઠી, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ લાખાણી, જનરલ સેક્રેટરી દેવયાનીબેન ઠાકોર, યુવા સેક્રેટરી, સંજયભાઈ ચાવડા ના સહયોગ અને આયોજનથી નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓને તેમની પ્રજ્ઞાલિપિ ભાષાના મોબાઈલ ફોન દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તથા પ્રજ્ઞાચક્ષુ શૈક્ષણિક અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ને મોબાઈલ ફોન વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરેલ.

 

આ કાર્યક્રમમાં નામી અનામી સંસ્થાઓ તથા સતાધીશો આમંત્રિતો હતા અને લગભગ ૧૫૦ જેટલી સંખ્યામાં દરેક વ્યક્તિઓને મોબાઇલ ફોન વિતરણ કરવામાં આવેલ. આ આયોજન દરેકના સહકારથી સુપેરે સંપન્ન થયું હતું.

અહેવાલ : જીતેન્દ્ર માવાણી, સુરત

Related posts

Leave a Comment