તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૭ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૪/૨૦૨૨નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment