હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં સિહોરના સણોસરા પંથકમાં નર્મદા મહી આધારિત પાણી પુરવઠા માટે ચોરવડલા ગામે એકમ કાર્યરત છે, જેની મુલાકાત ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાએ લઈ જરૂરી સૂચનો કર્યા છે.
પાણી પુરવઠાની વિતરણ સ્થિતિ અને ચોરવડલા એકમની પરિસ્થિતિ અંગે ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાએ મુલાકાત લઈ વિગતો મેળવી હતી અને અહીંયા યંત્ર સામગ્રી તેમજ વિતરણ પ્રણાલી સંદર્ભે સ્થાનિક તંત્રવાહકોને મરામત તેમજ સુચારુ કરવા સૂચન કરેલ છે. અહીંયા અગ્રણીઓ મૂળજીભાઈ મિયાણી, વલ્લભભાઈ રાઠોડ વગેરે સાથે આજુબાજુના કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા.
બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી