બોટાદ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવ ખાતે તારીખ 19 .3 .2022 ને સવારના 9:00 કલાકે સુજલામ સુફલામ જળ અભિયાન 2022 શુભારંભ કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

સુજલામ સુફલામ યોજનાના શુભારંભ કાર્યક્રમ અંતર્ગત બોટાદ સ્થિત કૃષ્ણ સાગર તળાવ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન વિશે તમામ માહિતગાર બને તે માટે બોટાદ નગરપાલિકા, નાનાજી દેશમુખ હોલ ખાતે તા.19.03.2022 ને સવારના 9.00 કલાકે બોટાદ જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે જેમાં તમામ જાહેર જનતાને લાભ લેવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment