સાબરકાંઠામાં તા. ૨૨ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૯ના વિધાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ લેવામાં આવશે. આ કસોટી આપનાર પરીક્ષાર્થીઓની પ્રવેશિકા( હોલ ટિકિટ) બોર્ડની વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પરથી શાળા દ્રારા ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કાઢીને ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાના રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.

Related posts

Leave a Comment