હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરત શહેરના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર જ્યોતિકાબેન લાઠીયા ના વિરોધમાં એક જનજાગૃતિ અભિયાન તેમની સાથે ચૂંટણી લડેલા ઉમેદવાર વિજયભાઈ ઘેલાણી, ધનજીભાઈ વિરાટ તથા રંજનાબેન ચૌધરી અને સાથી સક્રિય કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર સાત મતદાતાઓની માફી માંગીને કોઈપણ કામકાજ હોય તો અમારો કોન્ટેક કરજો તેવું અભિયાન ચલાવ્યું હતું જેના અનુસંધાનમાં ચોક બજાર પોલીસ દ્વારા પાંચ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત