સુરત શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ ની સામે ગણેશનગર ખાતે એસએમસી દ્વારા બનાવેલ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ એસએમસી અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સુરત

સુરત શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ ની સામે ગણેશનગર વિસ્તારની મોટામાં મોટી વસાહત આવેલ છે ત્યારે આ વસાહત વાળા લોકો ની સગવડ માટે એસએમસી દ્વારા બનાવેલ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ એસએમસી અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું. તેની જાણ પ્રજાજનો દ્વારા આમ આદમી પાર્ટી ના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીને કરવામાં આવી હતી. ધર્મેશભાઈ ભંડેરી દ્વારા તાત્કાલિક એસએમસીના અધિકારીઓને મળીને રજૂઆત કરતા આ જગ્યાની આગળ આવેલ સ્મીમેર હોસ્પિટલ નું નવું બિલ્ડીંગ બનાવવામાં આવનાર હોવાથી આ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ ને સીલ કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. જેથી વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ દ્વારા જ્યાં સુધી બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ શરૂ કરવા અધિકારીઓને જણાવીને લોકોને ખાત્રી આપી છે

રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત

Related posts

Leave a Comment