માંગરોળ ડિ.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત ની બદલી થતા સમગ્ર શહેરીજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યૂઝ, માંગરોળ

માંગરોળ ડિ.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત ની બદલી થતા સમગ્ર શહેરીજનોએ સન્માન રાખી વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. માંગરોળ ખાતે બે વર્ષ થી ફરજ બજાવી લોકોના મનમોહી પોલીસ ફરજ સાથે માનવતાના કાર્યો કરવા બદલ શહેર ના વિવિધ હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા જે.ડી પુરોહિત ને સાલ, છબી અને ફુલ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે માંગરોળનાં આગેવાનો દ્વારા ની કામગીરી બિરદાવી હતી. વિદાય પામતા પુરોહિત બે વર્ષ માં માંગરોળ ના લોકોએઆપેલ પ્રેમ અને કોમી એકતાની મિસાલને કાયમ રાખવા અપીલ કરી હતી. આ પ્રસંગે માંગરોળ મુસ્લિમ સમાજ ના પ્રમુખ મુફતી હનિફ જડા, વેલજી મસાણી, મેરામણ યાદવ, પાલિકા પ્રમુખ મો.હુસેન ઝાલા, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સૌમૈયા, ખારવા સમાજ પ્રમુખ, બૈતુલમાલ પ્રમુખ હનિફ પટેલ સહિત હિંદુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રમેશ ભાઇ જોષીએ સફળ રીતે કર્યુ હતું.

રિપોર્ટર : ઝુબૈર સુરા, માંગરોળ

Related posts

Leave a Comment