નિવાસી અધિક કલેકટર એ.આઇ.સુથાર એ ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કર્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર

૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટર ડૉ. મનિષકુમારના હસ્‍તે લુણાવાડા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે

મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર એ.આઇ.સુથારએ કર્યું હતું.

આ રિહર્સલમાં સુથારએ કલેક્ટરનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, કલેકટરનું ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ કર્યું હતું. નિવાસી અધિક કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પોલીસ પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો સહિત નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી સુચારૂં વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ સંબંધિત અધિકારીઓને આપી હતી.

આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને સંપન્ન કરી તેને આખરી ઓપ આપવામાં આવેલ

Related posts

Leave a Comment