શ્રી વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ પ્રગતિ મંડળ, રાપરીયા હનુમાનજી મદિર આશ્રમ રાધનપુર દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, રાધનપુર 

સમારંભના અઘ્યક્ષ શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી લલિત કિશોરદાસજી મહારાજ તથા રાજકીય આગેવાન પૂર્વ ધારાસભ્ય ભાજપ અલ્પેશ ઠાકોર, પૂર્વ મંત્રી ગૂજરાત રાજ્ય સંકરભાઇ ચોધરી, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી, પ્રમુખ પાટણ જિલ્લા ભાજપ દશરથ સિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ રાધનપુર ભાજપ,:લગધીરભાઈ ચોધરી, તાલુકા પ્રમુખ સમી ભાજપ બાબુજી ઠાકોર, પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર દીનેશજી ઠાકોર, પ્રમુખ તાલુકા પંચાયત સમી રણજીતસિંહ સિંધવ હાજર રહ્યા. સમારંભ ના અતિથિ વિશેષ પ્રમુખ મધ્યસ્થ સંઘ અમદાવાદ ચંદુભાઈ બી.સાધુ તથા રાષ્ટ્રીય અઘ્યક્ષ અખિલ ભારતીય વૈષ્ણવ પરિષદનાં આર. કે. વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વઢિયાર વિભાગ રાપરિયા હનુમાનજી આશ્રમના પ્રમુખ ઘનશ્યામભાઈ સાધુ, મંત્રી સંકરદાસ સાધુ તથા અખીલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી શાંતિદાસ તુલસીદાસ વગેરે આગેવાનો એ હાજરી આપી હતી. આમ સમાજ ના કામો વિકાસ લક્ષી કામો તથા શિક્ષણ, સરકારી લાભો, સમૂહલગ્ન, સમાજ ના વિકાસ લગતા કામો વગેરે થી વાતચીતો કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment