ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મા થોડા દિવસ પેલા મુસ્લિમ યુવાન મહેંદી હસન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે બાબતે આજ રોજ ગીર ગઢડા મામલતદાર ને મુસ્લિમ એકતા મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. તેમાં જણાવાયું હતું કે મુસ્લિમ સમાજ ની લાગણી દુભાય તેવા જાહેર માં પ્રવચન આપતા શખ્સ વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશન માં તા/૧૦/૯/ના રોજ એક જાગૃત નાગરિક તરીકે મહેંદી હસન દ્વારા અરજી કરેલ અને તા/૨૫/૯/ના રોજ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આંખ માં મરચાં ની ભુકી છાંટી હુમલો કરાયેલ આ હુમલા મા મહેંદી હસન ને ગંભીર ઈજા થયેલ અને સારવાર બાદ કોડીનાર પોલીસ સ્ટેશન માં એફ.આઈ‌.આર. દાખલ થયેલ અને બને મામલા એક બીજા સાથે જોડાયેલા છે કે કેમ ? તે બાબતે નીષ્પક્ષ તપાસ થાય તેવી માંગ મુસ્લિમ એકતા મંચ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment