દિલ્હી થી આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન એ વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વેરાવળ

દિલ્હીમાં આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન દ્વારા સોમનાથ થઈ ને વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.ગુજરાત મા શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું ખાનગીકરણ થઈ રહ્યું છે અને સામાન્ય આવક ધરાવતા વ્યક્તિને પોતાના બાળકો ને શિક્ષણ આપવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.તે બાબતે સમગ્ર ગુજરાતમાં લોક જાગૃતિ માટેના કાર્યક્રમ ચલાવવામાં આવે રહયા છે.

કોંગ્રેસ નગર સેવક અફઝલ પંજા દ્વારા નીરજ કુંદન ની શુભેચ્છા મુલાકાત થઈ અને શિક્ષણ ને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ગુજરાત મા શિક્ષણ ને ગુણવત્તા યુક્ત બનાવવા ની ખાસ જરૂર છે કારણ કે શિક્ષણ થી જ ગુજરાત વધુ પ્રગતી ના પંથે આગળ વધશે આજના યુવાધન ને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળશે તો તે સમગ્ર દુનિયામાં પોતાની આગવી છાપ ઉભી કરશે અને દેશ નું નામ રોશન કરશે.

આ તકે ગુજરાત કોંગ્રેસ ના યુવા અને મજબૂત કાર્યકર બ્રિજેશ પટેલ,નગર સેવક અફઝલ પંજા, બકુલ પટેલ, દિનેશ રાયઠ્ઠા, હનીફ મલેક અને વેરાવળ શહેર કોંગ્રેસ ના યુવા કાર્યકતાઓ એ હાજરી આપી હતી.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment