હિન્દ ન્યુઝ, લાલપુર
મૂળ વાવ નિવાસી અને હાલ લાખણી તાલુકાના ગેળા ગામે રહેતા લાલપુર બાલા ગૌરી પેટ્રોલ પંપના મેનેજર દિનેશભાઈ વ્યાસનું દુઃખદ અવસાન થતા ગામ લોકો તેમજ સ્નેહીજનો, સગા સબંધીઓ અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. માયાળુ સ્વભાવ થકી પરોપકારી સેવામાં સતત ખડેપગે રહેતા સ્વ. દિનેશભાઇ હરિભાઈ વ્યાસ પંથકમાં ગરીબોના મસીહા ગણાતા હતા. તેઓ નાના મોટા સૌનું કામ કરતા હતા. તેમનું અકાળે અવસાન થતા કદી ન પુરાય તેવી ખોટ પડી છે. પરંતુ કુદરતની મરજીની આગળ માનવનું કઈ ચાલતું નથી. ભગવાન માલિકને ગમ્યું તે ખરું. તેમના પરિવારને દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગસ્થના પવિત્ર આત્માને પરમ શાંતિ મળે એ જ પ્રભુ ચરણે પ્રાર્થના.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી