જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મળી હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી, યોજનાઓની સહાય અંગે વગેરે બબતોને લગતા પ્રશ્નો પરત્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા અંગેની સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પદાધિકારીઓ તેમજ મદદનીશ કલેક્ટર પુષ્પલત્તા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment