પાલીતાણા ખાતે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે સવારે પાલીતાણા ખાતે કાર્યરત કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઉપસ્થિત પાલીતાણાવાસીઓને કોરોનાના સામે રક્ષણ માટે કોરોના રસીની ઉપયુક્તતા વિશે જાણકારી આપી દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ લે તે આજના સમયની તાતી જરૂરિયાત છે તેમ સમજાવ્યું હતું. મંત્રીએ આ અવસરે નવી શબ વાહિનીને પણ જનતાના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી.

અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે જોડાયા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment