જસદણમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જસદણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સોરાષ્ટ્ર ગુજરાતના જન આશીર્વાદ થકી ભારતના ભવ્ય વિકાસની ઝલક જન જન શુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ની જન આશીર્વાદ યાત્રા આજે જસદણ પહોંચી હતી આ તકે સ્વાગત કરવા માટે જન આશીર્વાદ યાત્રાના પ્રભારી ડો.ભરતભાઈ બોધરા સહિત ભાજપના અનેક આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં પરસોત્તમભાઈ રૂપાલા સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયાં, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય લાખભાઈ સાગઠિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખારચિયા, જીલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ જિલ્લા ભાજપના આગેવાનો તેમજ જસદણ શહેર અને તાલુકા ભાજપના તમામ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment