કોવિડ -૧૯ કોરોનાના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજયમાં કોવિડ-૧૯ કોરોના ના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય મળે તેવી વિચારણા કરવામાં આવેલ છે. જેથી આ આર્થિક સહાય આપવા અંગેની નોંધણીની કાર્યવાહી સરળતાથી હાથ ધરી શકાય તે હેતુસર ભાવનગર જિલ્લાના સંગીત, નૃત્ય, નાટ્ય, લોકકલા ક્ષેત્ર પૈકી ગૌરવ પુરસ્કૃત કલાકારો કે જેઓ કોવિડ-૧૯ કોરોના ના કારણે અવસાન પામેલ હોય તેમના પતિ/પત્ની જે હયાત હોય તેમણે તા. ૨૮/૦૭/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી પાસેથી અથવા કચેરીના એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે ભરી પરત કરવાનું રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment