આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

હિન્દ ન્યુઝ, 

     તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે.

જેમા ભાવનગર તાલુકાના મહુવા તાલુકા ખાતે તા.૨૯ જુલાઇ, તળાજા તાલુકા ખાતે તા.૩૦ જુલાઇ તેમજ ગારીયાધાર અને પાલીતાણા તાલુકા ખાતે તા.૩૧ જુલાઇના રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment