આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની એક દિવસની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર

     મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૨૦ જુલાઇ, મંગળવારના રોજ ભાવનગરની એક દિવસની મુલાકાતે કરશે. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભાવનગર ખાતે નિર્મિત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સવારે ૧૦.૩૦ કલાકે લોકાર્પણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા નવા આવાસો પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા લાભાર્થીઓને અર્પણ કરાશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કેન્સર હોસ્પિટલ, સર તખ્તસિંહજી હોસ્પિટલ કમ્પાઉન્ડ, ભાવનગર ખાતે યોજાનાર આ વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજ્ય મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી, રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, તેમજ ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, સાંસદ, ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment